ગરીબ મોત : અમીર મોત - The Richh Deathh & Poorr Deathh
અહી તમે,અમે,આપણે એમ ઘણા બધા આવીએ છે.અને જતા રહીએ છે. જન્મ અને મૃત્યુ સ્વરૂપે.... સચિન તેંદુલકર, અમિતાભ બચ્ચન, ધીરુભાઈ અંબાણી અને અઝીમ પ્રેમજી જેવા ઘણા ઘણા નામો જીવનમાં આવે છે, જે આપણી વચ્ચેતો આવ્યા પણ...ગયા નહિ, અને લાંબા સમય સુધી જશે પણ નહિ. રોહિતભાઈ, નટુભાઈ, વિશાલકુમાર, વગેરે વગેરે નામ સાંભળ્યા હશે. ઘણા બધાના હોય છે.પણ...આ કોણ છે.કોઈ ધંધાદારી,ખૂની,અભિનેતા...? કોણ છે? આ પ્રશ્ન નો જવાબ “કોણ” જ રહેશે... કારણ કે તેઓ આવ્યા તેવા ગયા તેમનું કોઈ વજૂદ કે નામ એવું નથી કે જે આપણી વચ્ચે રહી શકે. બસ,અહી સામાન્ય મનુષ્ય ન રહેવાનું દબાણ કર્યું છે. આપણે સાંભળ્યું છે...કે, “ ખુદ કો કર ઇતના બુલંદ કે, ખુદા તુજકો પૂછે તેરી મરજી ક્યાં હે. ” અને બીજું હું કહું છું કે..., “ ખુદ હી કો બુલંદ કર હિમાલય કી તરહ, કી હિમાલય તુજસે પૂછે અબ ઉતરેગા કેસે? “ પણ હિમાલય પોતે આપણાને પૂછે એટલા બુલંદ તો થવું પડે ને...! સમાજમાં કેટલા લોકો છે જે પોતાનું નામ મૃત્યુ બાદ પણ જીવતુ રાખી શકે છે. ધર્મ, કર્મ, ...